નિયમો કરવાની સતા - કલમ:૧૬

નિયમો કરવાની સતા

(૧) રાજય સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી આ અધિનિયમના હેતુઓ પાર પાડવા માટે નિયમો કરી શકશે. (૨) આ કલમ હેઠળ કરેલા તમામ નિયમો તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ ઓછામાં ઓછા ત્રીસ દિવસ સુધી રાજય વિધાનમંડળ સમક્ષ મૂકવા જોઇશે અને જે સત્રમાં તે એવી રીતે મૂકવામાં આવે તેમાં અથવા તેની તરત પછીના સત્ર દરમ્યાન વિધાનમંડળ તેમાં જ કાંઇ ફેરફાર કરે તેને તે આધીન રહેશે.